મોરબીના માતમમાં સહભાગી થયા પીએમ મોદી: પીડિતોને આપી સાંત્વના

 વિડિયો જોવા માટે નીચે ફોટા પર ક્લિક કરો 👇👇👇



મોરબી,તા.1 નવેમ્બર 2022,મંગળવાર

રવિવારે મોરબીની મચ્છુ નદીની ઉપરના દોઢ સદી જુના કેબલ બ્રિજનો એક છેડો તૂટતા અંદાજે 500 લોકો નદીમાં ખાબક્યા હતા. તંત્ર અને સંચાલનના પાપે આ કરૂણાંતિકામાં અત્યાર સુધી 143 લોકો મોતને ભેટ્યા છે. મોરબીના મોતના તાંડવાનો તાગ મેળવવા અને પીડિતોના આ અસહ્ય દુખમાં સહભાગી થવા વડાપ્રધાન પીએમ મોદી બુધવારે બપોરે ચોપરથી મોરબી પહોંચ્યા છે.


પીએમ મોદી મોરબીમાં સૌપ્રથમ ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર બનાવ કઈ રીતે બન્યો તે જાણ્યું. ગૃહમંત્રી હર્ષ સંઘવી આ ઘટનાનું વર્ણન કરે તે સમયે મોદી આક્રોશ અને ગુસ્સામાં જોવા મળ્યા હતા. કેબલ બ્રિજ બાદ હવે મોદી ઈજાગ્રસ્તોની મુલાકાત કરીને આશ્વાસન આપ્યું કે તમામ સંભવિત મદદ થશે.

આ સિવાય તેમણે રેસ્ક્યુ ઓપરેશન કરનાર આર્મી, NDRF, SDRFની ટીમો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો અને સમજ્યા હતા કે શું મુશ્કેલીઓનો સામનો તેમને કરવો પડ્યો હતો.


આ સિવાય હવે પીએમ મોદી મૃતકના પરિજનોને મળવા પહોંચ્યા છે. અહેવાલ અનુસાર તેઓ આ ઘટનામાં જીવ ગુમાવનાર 24 વ્યક્તિઓના પરિવારજનોને મળશે.

સંભાવના એ પણ છે કે આ મુલાકાત બાદ પીએમ મોદી દ્વારા આ અસરગ્રસ્ત પરિવારો માટે એક રાહત પેકેજની પણ જાહેરાત કરાઈ શકે છે.







Comments

Popular posts from this blog

20 Good Short Moral Stories for Kids

Be content with what you have

Gujrat Election 2022: અરવિંદ કેજરીવાલના રોડ શોમાં લાગ્યા મોદી મોદીના નારા, પછી અરવિંદ કેજરીવાલે આપ્યો કંઇક આવો જવાબ!